facebook

Sunday, March 17, 2019

પરિવાર પુજવા અને પાય પૂજવા :-

હરિ પરિવાર કોને કહેવાય :- આપણી યજ્ઞિવિધ માં આવે છે તમારો પિરવાર પ્રહલાદ,હિરશચંદ્ર,ધ્રુવ આ એનો પરિવાર છે.એની રાહે ચા૯યા ધર્મને સ્વીકાર કર્યો ઇ એનો પરિવાર છે.જો એની વંશાવણી પૂજાતી હોત તો કૃષ્ણ ભગવાન યાદવાસ ટળી ન કરી હોત,ઇમામશાહ મહારાજે એની વંશાવણીને પૂજવાનું નથી કહયું અને હિન્દુજાતના શાણાકાકાને ગાદીપિત બનાવ્યા હતા કારણ કે આ નાદ અને બુંદનો વિસ્તાર છે.બુંદમાંથી સર્જાલો સંસાર માયાના પ્રભાવમાં ભૂલો પડે છે. અને નાદથી સર્જેલો સંસાર એને સત્યની રાહ બતાવે છે.કેમકે નાદ
એટલે આવાજ(ગુરૂમંત્ર) જે કાનથી લેવામાં આવે છે.કોઇ પણ પીઠ કે ગાદી હોય એમાં અનેક શિષ્યો હોય. પણ જે ગુરૂનાં પદના લાયક બને અધિકારી બને તે બીજાને સત્યનો રાહ બતાવે આ કુદરતનો ક્રમ છે.મારકુંડ ઋિષના ભજનમાં આવે છે કે નાદ અને બુંદથી સર્જેયેલા સંસારને સત્યના રાહ પર પ્રેરણા આપે.અને એના રાહ ચાલે ઇ એનો પરિવાર.જે જે પરમાત્મા જે જે સમય ઉપર આવ્યા,ઋગ્વેદ હતો ત્યારે ઋગ્વેદના જે દેવો હતા તેઓના નામથી ચરણામૃત બનતુ.ર્યજુરવેદ હતું ત્યારે ર્યજુરવેદના દેવોના નામથી ચરણામૃત બનતું સામવેદ હતું ત્યારે સામવેદના દેવોના નામથી ચરણામૃત બનતું ફકત રીત રસમમાં ફેરફાર થાય છે અને આજ કળયુગમાં અર્થવવેદના દેવોના નામથી ચરણામૃત બને તો સહી સહી થાય.આજ ભગવાન શ્રી નિષ્કલંકી અને એના જે પાત્રો છે.આપણા સતપંથ શાસ્ત્રમાં કહેવાય છે કે મુનિવર જાગોને ગોરનર આવ્યા. જાંમ્બુદ્વીપ માં જાગી જયોત મુનિવર જાગો ને ગોરનર આવયા આપણી પૂજામાં આવે છે કે ગોરનરના તપે કરીને જીવના ગુના માફ કરો ગોર નરના જાપના તપે કરીને જીવના ગુના માફ કરો.
મનિચંતામણીમાં કહયું છે કે રૂપ હમારા કાલેશ્રી દેખી જગત બીહાય.ગુણવંતા ગુણ સાંખીયે જેની મુખે કિર્તી લખાય.આપણી શિક્ષાપત્રીના ૯૪માં શ્લોકમાં આવે છે કે આપણા સ્વામી જે રૂપે હોય તે રૂપે જાપ જપો મુનિવરભાઇ દશતરી ગાયત્રીમાં આવે છે કે જે કોઇ ચિત હરી શું લાય તેના ધર્મ વધેને પાપનો ક્ષય થાય.નમો નમો પરીબ્રહ્મ નારાયણના નામને નમો.
શાસ્ત્રોમાં જે રાહ બતાવ્યો છે એમા જેનું મન અડીખમ રહયું.જેને ધીરજ રાખીને અડગ મન બનાવ્યું છે એનું કામ થાશે.ગંગા સતીએ પણ કહયું છે મેરૂ તો ડગે પણ જેના મનડા ન ડગે,ભાંગી પડે આ બ્રહ્માંડ વિપત પડશે પણ વળશે નહી સો હરિજન પ્રમાણ.આવીજો આપણામાં અડગતા હશે તો પરમાત્મા આપણા સાથે જ છે.પણ આપણું મન ડરી જશે, ઢીલાપડી જાશું તો પરમાત્મા કે હું શું કરું.તમારા કારણે મને ચિંતા ઉપની રખે તમે બેઇમાની થાતા હો .ભક્તિ જે થાય તે પણ મનને અડગ રાખો નકર રાખો એક નહી અનેક શાસ્ત્રોમાં પૂરાવા મળશે.

No comments:

Post a Comment